વડોદરાના સેવાભાવી અને ઉમદા દંપતિ
ઇએનટી સર્જન ડો. આર. બી. ભેસાણિયા અને ફાલ્ગુનીબેન ભેસાણિયાએ
હમણાં તેમના પેશન્ટસ અને રક્તદાતાઓ માટે
એક મિલન અને મોટિવેશન સમારોહ યોજ્યો હતો.
આ અવસરે મારી સાથે અટલાદરા સ્વામી નારાયણ મંદિરના શ્રી જ્ઞાનવત્સલ સ્વામી,
મારી જીવનસંગીની અને અભિયાનના તંત્રી જ્યોતિ ઉનડકટ તથા
કોલમિસ્ટ અમીષા શાહે પણ મનનીય પ્રવચનો કર્યા હતો.
તબીબે પોતાના પેશન્ટસ અને રક્તદાતાઓ માટે
આવો સ્નેહ સમારોહ યોજ્યો હોય એ એક વિરલ ઘટના છે.