સુરતમાં તા. 11 સપ્ટેમ્બર અને રવિવારે રુપીન પચ્ચીગરના પુસ્તક ‘મારે સફળ થવું છે’નું વિમોચન કર્યું. જેની જિંદગી જ સફળતાના પર્યાય જેવી છે એવા ડાયમંડ ટાયકૂન ગોવિંદભાઇ ધોળકીયા, ચેમ્બરના પ્રમુખ બી.એસ.અગ્રવાલ, સાહિત્ય સંગમના નાનુભાઇ તથા જનકભાઇ, અભિયાનના તંત્રી જ્યોતિ ઉનડકટ અને અનુજ પચ્ચીગર ડાયસ પર હતા. આખો હોલ ખીચોખીચ હતો. ‘દિવ્ય ભાસ્કર’, સુરતના તંત્રી અજય નાયક, ‘સત-અસત’ નવલકથાના લેખક અને પ્રોફેસર મનીષાબેન પાનવાલા, ઉતમભાઉ ગજ્જર, પૂર્વ ઉપકુલપતિ પ્રેમ શારદા, કવિ મિત્ર મુકુલ ચોકસી સહીત અનેક લાકોની હાજરી કાબિલેદાદ.. પુસ્તક વિમાચનનો કાર્યક્રમ રવિવારે સવારે સાડા દશે હોય અને આખો હોલ ચિક્કાર હોય એવું સુરતમાં જ જોવા મળે. બોલવાની તો મજા પડી જ પણ બધાને મળીને સુરતના જૂના દિવસો વાગોળવાની પણ મજા આવી. થેંકયુ સુરત.
Related Posts
કલ ખુશી મિલી, ચલી ગઈ, જલ્દી મેં થી! ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ બુલંદી દેર તક કિસ શખ્સ કે હિસ્સે…
જે પરિસ્થિતિને બદલી ન શકો તેને સ્વીકારી લો ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ નૌકાના ડૂબવાનું કો‘કારણ નથી જડયું, દે છે…
મારાથી એ વાત ભુલાતી જ નથી ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ યાદ ઔર યાદ કો ભૂલાને મેં, ઉમ્ર કી ફસ્લ કટ…