સુરતમાં તા. 11 સપ્ટેમ્બર અને રવિવારે રુપીન પચ્ચીગરના પુસ્તક ‘મારે સફળ થવું છે’નું વિમોચન કર્યું. જેની જિંદગી જ સફળતાના પર્યાય જેવી છે એવા ડાયમંડ ટાયકૂન ગોવિંદભાઇ ધોળકીયા, ચેમ્બરના પ્રમુખ બી.એસ.અગ્રવાલ, સાહિત્ય સંગમના નાનુભાઇ તથા જનકભાઇ, અભિયાનના તંત્રી જ્યોતિ ઉનડકટ અને અનુજ પચ્ચીગર ડાયસ પર હતા. આખો હોલ ખીચોખીચ હતો. ‘દિવ્ય ભાસ્કર’, સુરતના તંત્રી અજય નાયક, ‘સત-અસત’ નવલકથાના લેખક અને પ્રોફેસર મનીષાબેન પાનવાલા, ઉતમભાઉ ગજ્જર, પૂર્વ ઉપકુલપતિ પ્રેમ શારદા, કવિ મિત્ર મુકુલ ચોકસી સહીત અનેક લાકોની હાજરી કાબિલેદાદ.. પુસ્તક વિમાચનનો કાર્યક્રમ રવિવારે સવારે સાડા દશે હોય અને આખો હોલ ચિક્કાર હોય એવું સુરતમાં જ જોવા મળે. બોલવાની તો મજા પડી જ પણ બધાને મળીને સુરતના જૂના દિવસો વાગોળવાની પણ મજા આવી. થેંકયુ સુરત.
Related Posts
જજ પહેલી વખત રડ્યા, લોકો તો બિચારા રોજ કોર્ટમાં રડે છે! દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ દેશની સર્વોચ્ચ અદાલતના ચીફ જસ્ટિસ…
બધા લોકોને મારામાં ખામી જ દેખાય છે ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ. એ હવે રહી રહીને માગે છે પરિવર્તન…
ગમે એવો છે, મારી સાથે સારો છેને! ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ લૂંટ એણે ગણતરી મૂકીને કરી, હાથ મૂકી ગયો તો…